મારા બ્લૉગ પરના સુવિચાર વિભાગની લોકપ્રિયતા જોઈને મેં હવેથી આ વિભાગમાં નિયમિતપણે નવા સુવિચાર ઉમેરવાનું ઠરાવ્યું છે. સાથે જ, માત્ર લખાણ મૂકે રાખવાને બદલે એમાં સૌંદર્ય ઉમેરવા માટે જેમના સુવિચાર ટાંકીશ તેમની તસવીર મૂકવાની પણ પૂરતી કોશિશ કરીશ. આ વિભાગમાં નિયમિતપણે નવા સુવિચાર ઉમેરાશે તેથી આપ સૌ એની વારંવાર મુલાકાત લેતા રહેજો. તો પ્રસ્તુત છે નવા સુવિચારનો પહેલો મણકો, બુધવાર ૧૮ ઑગસ્ટ ૨૦૧૦ના રોજ…
(સુવિચારના અને સુવાક્યના રસિયાઓને એક જ વિનંતી: આ વિભાગની મુલાકાત લઈને અને એને માણીને તમારી કમૅન્ટ્સ અચૂકપણે લખતા જજો. તમારો પ્રતિભાવ મારા માટે નવું લખવાની ચાનક ચડાવતું ટૉનિક છે. )
________________________
નૈસર્ગિક આવડત વિનાના શિક્ષણ કરતાં શિક્ષણ વિનાની નૈસર્ગિક આવડતે માણસને કીર્તિ અને ગુણના ઉચ્ચ મુકામે ઘણી વધારે વાર પહોંચાડ્યો છે.
– માર્કસ સિસરૉ (રૉમન વક્તા, રાજનીતિજ્ઞ)
________________________
ખરેખરા દુ:ખી લોકો એ છે જેઓ પોતે જે કરી શકતા હોય તે કામ કર્યા અધૂરાં છોડી દે છે. અને એ કામ શરૂ કરી દે છે જે તેઓને સમજાતાં નથી. નવાઈની વાત નથી કે તેઓને છેવટે છેવટે દુ:ખ જ મળે છે.
– જોહાન ગૅર્ટા (જર્મન કવિ, નાટ્યકાર)
________________________
વહીવટી (એક્ઝિક્યુટિવ) આવડત એટલે શું કરવું છે એ ફટાફટ નક્કી કરવું અને પછી એ કામ કરવાને એટલી જ જલ્દી કોઇકને શોધી કાઢવું.
– જૉન પૉલાર્ડ (અમેરિકન રાજકારણી)
________________________
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ.
– બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ)
________________________
બે પ્રકારના માણસો હોય છે, એક જેઓ (ક્યાં જવું તેનું) માર્ગદર્શન પૂછશે અને બીજા, જેઓ (પોતાની મેળે) પોતાનો રસ્તો શોધી લેશે. બન્ને જણ એમની મંજિલ સુધી પહોંચશે ખરા પણ )પહોંચવાનો) સંતોષ બીજા પ્રકારમાં ઘણો વધારે છે.
ડૉમિનિક સ્લાઇવર (લેખક)
________________________